સરકારી યોજના 2024 : ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે આર્થિક રીતે પગભર થવા નવી નવી યોજનાઓનું ગઠન કરે છે જેમાં કેટલીક એવી યોજનાઑ છે જે ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો માટે ખાસ આવશ્યક છે અને આ યોજના નો લાભ જરૂર લેવો જોઈએ.
સરકાર દ્વારા વર્ષ 2024 ઘણી બધી યોજના લાગુ કરવામાં આવેલ છે જેની માહિતી અને યાદી આપણે આ લેખ ના માધ્યમથી જાણીશું,આ લેખ ને તમામ ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ને વધુમાં વધુ શેર કરો જેથી દરેક ને યોજનાઓ નો લાભ લઈ શકે.
આઇ ખેડૂત પોર્ટલ યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક ખેડૂત માટે ઓનલાઈન પોર્ટલ છે,જેમાં ખેડૂત ને પશુપાલન,બાગાયતી,ખેતીવાડી,મત્સ્યપાલન ને લગતી યોજનાઓ નો લાભ લઈ શકે છે.
ઈ સમાજ કલ્યાણ યોજના 2024| E Samaj Kalyan Yojana Gujarat
યોજનાનું નામ
ઈ સમાજ કલ્યાણ યોજના
માહિતી
આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે,ઈ-સમાજ કલ્યાણ યોજના એ ગુજરાતના નબળા વર્ગોને સહાય આપવા માટે એક ઓનલાઈન પોર્ટલ છે. આ પોર્ટલમાં શૈક્ષણિક, આર્થિક અને સામાજિક કલ્યાણની વિવિધ યોજનાઓ અને સેવાઓ નો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે,જેમાં ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મકાનની સહાય આપવામાં આવે છે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે જે ગ્રામીણ ભારતમાં રોજગારી આપે છે . આ યોજના હેઠળ, ગ્રામીણ વિસ્તારોમાં રહેતા 18-60 વર્ષના કોઈપણ વ્યક્તિને વર્ષ દરમિયાન 100 દિવસ રોજગાર આપવાની ખાતરી આપવામાં આવે છે.
માનવ કલ્યાણ યોજના એ ગુજરાત સરકારની એક યોજના છે જે આર્થિક રીતે પછાત વર્ગોના લોકોને સ્વરોજગારની તકો પૂરી પાડવા માટે લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, ગુજરાતના લાભાર્થીઓને તેમના વ્યવસાયને શરૂ કરવા અથવા વધારવા માટે મફત સાધનો અને ઓજારો આપવામાં આવે છે.
વિકલાંગ લોન યોજના એ વિકલાંગ વ્યક્તિઓને રોજગારી અને સ્વરોજગારી માટે લોન આપવાની યોજના છે. જેમાં આ યોજનાનો હેતુ વિકલાંગ વ્યક્તિઓને તેમના ભૌતિક અને સામાજિક જીવનમાં મદદ કરવાનો છે.
આ યોજના નો લાભ લેવા માટે
અહી ક્લિક કરો
પીએમ યશસ્વી યોજના 2024| Yashasvi Yojana 2024
યોજનાનું નામ
પીએમ યશસ્વી યોજના
માહિતી
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના એ ભારત સરકાર દ્વારા સંચાલિત એક યોજના છે જેમાં ધોરણ 9 અને 11 માં અભ્યાસ કરી રહેલા ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય નબળી આર્થિક પરિસ્થિતિને કારણે શિક્ષણથી દૂર રહેતા વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મદદ કરવાનો છે.
આ યોજના નો લાભ લેવા માટે
અહી ક્લિક કરો
મનરેગા યોજના 2024| MGNREGA Yojana 2024Gujarat
યોજનાનું નામ
મનરેગા યોજના
માહિતી
મનરેગા એટલે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના. આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારના કુટુંબોને રોજગારીની તકો આપવાનો છે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા 18 વર્ષથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકોને રોજગારી આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એ ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેળ એક યોજના છે જે ગરીબી રેખા હેઠળના પરિવારોની મહિલાઓને સ્વચ્છ રસોઈ ઇંધણ એલપીજી કનેક્શન આપે છે. આ યોજના 1 મે, 2016 ના રોજ શરૂ કરવામાં આવી હતી અને તેના હેઠળ 31 મે, 2023 સુધીમાં 5.59 કરોડ કનેક્શન્સ દેશ માં આપવામાં આવ્યા છે.
વિધવા સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા કાર્યરત એક યોજના છે જેનો ઉદ્દેશ્ય વિધવા મહિલાઓને આર્થિક સહાય આપવાનો છે. આ યોજના હેઠળ, 18 થી 40 વર્ષની વય વિધવા મહિલાઓને દર મહિને રૂ. 1,250 ની સહાય આપવામાં આવે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના એ બેટી બચાવો-બેટી પઢાઓ મિશન હેઠળ શરૂ કરવામાં આવેલી એક મહત્ત્વની સરકારી યોજના છે. આ યોજનાનો હેતુ દેશ ની તમામ દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા અને તેમના લગ્ન અને ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સહાય આપવાનો છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) એ ભારત સરકાર દ્વારા કાર્યરત એક જાહેર અકસ્માત વીમા યોજના છે. આ યોજના 18 થી 70 વર્ષની વય જૂથના લોકો માટે ઉપલબ્ધ છે જેઓ ભારતના નાગરિકો છે અને બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવે છે. એ લોકો આ વીમો લઈ શકે છે
માનવ ગરિમા યોજના ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ગરીબ અને પછાત વર્ગોના લોકો માટે નાના વ્યવસાયો શરૂ કરવામાં મદદ કરવા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, લાભાર્થીઓને રૂ. 25,000 સુધીની મર્યાદામાં વિના મૂલ્યે સાધન સહાય આપવામાં આવે છે.
પીએમ વિશ્વકર્મા યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે જે પરંપરાગત કારીગર વ્યવસાયો સાથે જોડાયેલા લોકોને લાભો આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ કારીગરોને તેમની કુશળતામાં સુધારો કરવા, વધારાની આવક મેળવવા અને આત્મનિર્ભર બનવામાં મદદ કરવાનો છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (PDDAUAY) ગુજરાત સરકાર દ્વારા કાર્યરત એક મકાન સહાય યોજના છે. આ યોજનાનો હેતુ ગુજરાતમાં ગરીબ,વંચિત વર્ગના લોકોને મકાન બનાવવામાં મદદરૂપ બનવાનો છે.
આ યોજના નો લાભ લેવા માટે
અહી ક્લિક કરો
Sarkari Yojana 2024 FAQ’s
pmfby (પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના) ભારત સરકારે કયા વર્ષથી અમલમાં મૂકી છે ?
ભારત સરકારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) 18 ફેબ્રુઆરી, 2016ના રોજ અમલમાં મૂકી હતી
ગુજરાત સરકારની સોઈલ હેલ્થ કાર્ડ યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
ગુજરાતના ખેડૂતો,ખેડૂત પરિવારના સભ્યો,ખેતી સાથે સંકળાયેલા લોકો લાભ લઈ શકે છે
ગુજરાત સરકારની કૃષિ લોન માટે વ્યાજની ટકાવારી કેટલી છે ?
ટૂંકા ગાળાની લોન (પાક ઉત્પાદન, પશુપાલન, ડેરી, મત્સ્યપાલન, વગેરે): 7 ટકા લાંબા ગાળાની લોન (મશીનરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વગેરે): 9 ટકા
ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને કઈ યોજના હેઠળ અઠવાડિયામાં 5 દિવસ દૂધ આપવામાં આવે છે ?
ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ અઠવાડિયામાં 5 દિવસ દૂધ આપવામાં આવે છે.
મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના કયા રાજ્યની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે
મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.
દાહોદ દક્ષિણ જૂથ પાણી પુરવઠા યોજના માટે સરકારશ્રી દ્વારા આશરે કેટલી સહાય ફાળવવામાં આવી છે?
દાહોદ દક્ષિણ જૂથ પાણી પુરવઠા યોજના માટે સરકારશ્રી દ્વારા આશરે રૂ. 890 કરોડની સહાય ફાળવવામાં આવી છે.
મંગળસૂત્ર યોજના’ હેઠળ કન્યાઓને રાજ્ય સરકાર મામેરા માટે કેટલી રકમની સહાય કરે છે ?
મંગળસૂત્ર યોજના હેઠળ કન્યાઓને મામેરા માટે રૂ. 15,000ની સહાય કરે છે.
ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનાનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો ?
ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનાનો પ્રારંભ 2017માં થયો હતો.
ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?
ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના 22 જાન્યુઆરી, 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ ડેરી સહકાર યોજના કયા મંત્રાલય હેઠળ ચલાવવામાં આવે છે?
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ ડેરી સહકાર યોજના સહકારિતા મંત્રાલય હેઠળ ચલાવવામાં આવે છે.
2 thoughts on “Sarkari Yojana 2024 : ગુજરાત સરકાર યોજના 2024, તમામ સરકારી નવી યોજના ની યાદી”
2 thoughts on “Sarkari Yojana 2024 : ગુજરાત સરકાર યોજના 2024, તમામ સરકારી નવી યોજના ની યાદી”