Pitru Paksha Shradh 2023 : ભાદવરા માસ માં પિતૃ પક્ષ ની શરૂઆત થઈ જાય છે.હિન્દુ ધર્મ માં પિતૃ પક્ષનું ઘણું મહત્ત્વ છે.પિતૃ પક્ષ ને બીજા શબ્દ માં શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે.પિતૃ પક્ષ ના માસ માં મૃત્યુ પામેલા પૂર્વજો માટે શ્રાદ્ધ,તર્પણ કરવામાં આવે છે.આ કાર્ય ભાદવરા માસ માં આવતા પિતૃ પક્ષ માં આ કરવામાં આવે છે આ કરવાથી પૂર્વજો તરફ થી આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
પિતૃ પક્ષ માં મૃત્યુ થયેલ વ્યક્તિ ની તિથિ જોયા બાદ તે આધારિત શ્રાદ્ધ કરવામાં આવે છે.
![Pitru paksha](https://gujjudafol.in/wp-content/uploads/2023/01/pitru-paksha-1024x536.png)
2023 માં ક્યારે શરૂ થશે પિતૃ પક્ષ (શ્રાદ્ધ) ? Pitru paksha 2023 start Date and Time
પિતૃ પક્ષ ની શરૂઆત 29 Sptember ના દિવસ થી શરૂ થશે અને 13 Octoberએ સમાપ્ત થઈ જશે.
પિતૃ પક્ષ (શ્રાદ્ધ)નું મહત્વ | Importance of Pitru paksha (Shradh)
- પિતૃ પક્ષ (શ્રાદ્ધ) પૂર્વજો માટે પિંડ દાન,તર્પણ કરવાથી વ્યક્તિ ના જીવન માં ઘણી બધી ખુશીઓ આવે છે અને પૂર્વજો ના આશીર્વાદ મળે છે.
- પિતૃ દોષ ની મુક્તિ માટે શ્રાદ્ધ – તર્પણ કરવું એ શુભ સંકેત માનવામાં આવે છે.
પિતૃ પક્ષ માં શ્રાદ્ધ ની તિથિ | Pitru Paksha Shradh tithi
પક્ષ | તિથિ | દિવસ |
પૂર્ણિમા શ્રાદ્ધ | 29 September 2023 | શુક્રવાર |
પ્રતિપદા શ્રાદ્ધ | 30 September 2023 | શનિવાર |
દ્વિતીય શ્રાદ્ધ | 01 October 2023 | રવિવાર |
તૃતીય શ્રાદ્ધ | 02 October 2023 | સોમવાર |
ચતુર્થી શ્રાદ્ધ | 03 October 2023 | મંગળવાર |
પંચમી શ્રાદ્ધ | 04 October 2023 | બુધવાર |
શષ્ટમી શ્રાદ્ધ | 05 October 2023 | ગુરુવાર |
સપ્તમી શ્રાદ્ધ | 06 October 2023 | શુક્રવાર |
અષ્ટમી શ્રાદ્ધ | 07 October 2023 | શનિવાર |
નવમી શ્રાદ્ધ | 08 October 2023 | રવિવાર |
દશમી શ્રાદ્ધ | 09 October 2023 | સોમવાર |
એકાદશી શ્રાદ્ધ | 10 October 2023 | મંગળવાર |
દાર્દશી શ્રાદ્ધ | 11 October 2023 | બુધવાર |
ચતુર્દશી શ્રાદ્ધ | 12 October 2023 | ગુરુવાર |
અમાવશ્ શ્રાદ્ધ | 13 October 2023 | શુક્રવાર |
શ્રાદ્ધ કરવાની વિધિ | Pitru Paksha Shradh Vidhi
- કોઈ વિશેષ વિદ્વાન બ્રાહ્મણ ને મળી શ્રાદ્ધ પિંડ દાન તર્પણ કરાવવું જોઈએ.
- શ્રાદ્ધ કરતી વખતે બ્રાહ્મણને તો દાં આપવામાં આવે જ છે પરંતુ કોઈ ગરીબ અથવા જરૂિયાતમંદોને દં કરવામાં આવે તો ઘણું પુણ્ય મળે છે
- તેમજ ગાય,કાગળો,કૂતરા,ને પણ ભોજન આપવું જોઈએ (માનવા માં આવે છે કે આ તમામ ને ભોજન કરાવવા થી પિતૃ સુધી ભોજન પહોંચી જાય છે )
- આ શ્રાદ્ધ તમે કોઈ પણ નદી કિનારે કરી શકો છો.(પરંતુ ખાસ કરી ને ઘણા લોકો ગંગા નદી આ વિધિ કરવા માટે જાય છે ગુજરાત ની વાત કરીએ તો ગુજરાત ના લોકો નર્મદા નદી ચાદોદ ખાતે આ વિધિ કરવા માટે મોટી પ્રમાણ માં લોકોને છે)
- નદી કિનારે વિધિ કરવી ફરજિયાત નથી,ઘરે પણ બ્રાહ્મણ ની રાય લઈ વિધિ કરી શકો છો.
- શ્રાદ્ધ ની વિધિ ખાસ કરીને બપોર ના સમયે કરવા માં આવે છે,બપોર નો સમય શ્રાદ્ધ વિધિ કરવાની ઉત્તમ સમય માનવામાં આવે છે.
Pitru Paksha FAQ’s
પિતૃ પક્ષ (શ્રાદ્ધ) માં આપણે શું કરીએ છીએ ?
પિતૃ પક્ષ એ 16 દિવસ ની અવિધી છે આ દિવસો દરમિયાન લોકો પોતાના પૂર્વજો ની પૂજા કરે છે એ તેમના પૂર્વજો ને પસંદીદા ભોજન,કપડાં અને પસંદ ની અન્ય બીજી વસ્તુઓ આપવાની આને સમ્માન કરવાનો અવસર હોય છે.લોકો તેમના પૂર્વજો ના નામે ભોજન અને વસ્ત્ર દાન કરે છે.
પિતૃદોષ ની પૂજા ક્યાં થાય છે ? | pitru dosh puja
પૂર્વજો ને શ્રાપ થી મુક્તિ મેળવવા માટે પિતૃ દોષ ની પૂજા કરવામાં આવે છે મુખ્યત્વે આ પૂજા ત્યંબકેશ્વર,નાશિક,ગયા, રામેશ્વરમ,હરિદ્વાર અને ઉજ્જૈન માં કરવામાં આવે છે.
ઘર માં પિતૃ નું સ્થાન ક્યાં હોય છે ?
ઘર માં પિતૃ નું સ્થાન ઉત્તર દિશા માં હોવું જોઈએ,દક્ષિણ દિશા માં મુખ હોય તેવી જગ્યા એ ફોટો લગાવવો જોઈએ ,દક્ષી દિશા ને યમ ની દિશા માનવામાં આવે છે.
પિતૃ ની ઉંમર કેટલી હોય છે ?
ધર્મશાસ્ત્ર અનુસાર પિતૃઓનો નિવાસ સ્થાન ચંદ્રમા અને ઉદ્વભાગમાં માનવામાં આવે છે.આત્માઓ મૃત્યુ પછી 1 થી લઇ 100 વર્ષ સુધી મૃત્યુ અને પુનઃ જન્મ ની મધ્ય સ્થિતિ માં રહે છે.
પિતૃ ના દેવતા કોણ છે ? | Pitru God
પિતૃ ના દેવતા અર્યમાં છે.